પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના: મહિલાઓને મળશે 6000/- ની સહાય

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના: ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. દેશમાં અડધો અડધ મહિલાઓ ફિકાશવાળી છે જ્યારે ત્રીજા ભાગની મહિલાઓ ક્કુપોષિત હોવાનું જ્જનવા મળ્યું છે. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે. જેથી તેમણે જરૂરી આરમાં મળતો નથી. શરીર અશક્ત બને છે, બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી એટલે પોતે તથા બાળ બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ૨૦૧૩ ના રાષ્ટ્રીય ખાદ્યસલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરુ કરી છે, જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે.

હેતુઓ

  1. પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય અને આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવા.
  2. સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓમે રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી જ્બાથી એણે જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે.

લક્ષિત લાભાર્થીઓ

  1. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે તેવા ધારા-ધોરણો અનુસાર સહાય મેળવતી હોય, તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી છ મહિના સુધી આ યોજના હેઠળ વારી લેવાશે.
  2. ૨૦૧૭ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
  3. લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.
  4. ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
  • યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
  • ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
  • લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય એ પછીથી ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે. એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.
  1. યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય, એ પછી જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
  2. આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.

Also Read: જુઓ મહિને માત્ર 1500 રૂપિયાનું કરો રોકાણ, અને મળશે ૩૫ લાખ સુધીની રકમ…

યોજનાના ફાયદાઓ

  • સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ ૫ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળેશે. ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના ૨ હજાર રૂપિયા અપાશે. ત્રીજા હપ્તાના ૨ હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
  • દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.

આ છે જરૂરી દસ્તાવેજ

  • રાશન કાર્ડ
  • બાળકના જન્મનું પ્રમાણ પત્ર
  • માતા-પિતા બંનેનો આધાર કાર્ડ
  • બેન્ક ખાતાની પાસબુક
  • માતા-પિતા બંનેનું ઓળખ પત્ર

Also Read: એકવાર રોકાણ કરીને દર મહિને મેળવો 4950 રૂપિયા

કેવી રીતે અરજી કરવી

  • માતૃત્વ વંદના યોજના 2021 અંતર્ગત, કેન્દ્ર સરકારે અરજી પ્રક્રિયા ઓનલાઇન કરી છે.
  • આ યોજના હેઠળ લાભાર્થીઓ જાતે ઓનલાઇન અરજી કરી શકે છે.
  • પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવા માટે, લાભકર્તાએ www.Pmmvy-cas.nic.in પર લોગ ઇન કરીને અરજી કરવાની રહેશે.
  • લોકો ઘરેથી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે.
  • માતૃત્વ વંદન યોજના માટે અરજી કરતી સગર્ભા સ્ત્રીઓ 19 વર્ષની વયથી કાર્યરત ન હોવી જોઈએ.

Official Website : www.wcd.gujarat.gov.in