ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના

જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના: અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે.

જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના

જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના : ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.

નિયમો અને શરતો

  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
  • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
  • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
  • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
  • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર
  • ખેડૂત/ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
  • આવકનો દાખલો
  • બાનાખતની ખરી નકલ
  • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
  • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા
  • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

Also Read: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 6000 રૂપિયા

ક્યાં અરજી કરવી?

  • જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી. અથવાઓનલાઈન
  • અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.
  • અરજી કરવા માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

Source By Esamajklyan