જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના: અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે.
જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના
જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના : ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.
નિયમો અને શરતો
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.
- સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.
- કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.
- સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .
- લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર
- ખેડૂત/ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો
- આવકનો દાખલો
- બાનાખતની ખરી નકલ
- જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ
- જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા
- જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
Also Read: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 6000 રૂપિયા
ક્યાં અરજી કરવી?
- જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી. અથવાઓનલાઈન
- અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.
- અરજી કરવા માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
Source By Esamajklyan
Leave a Reply