રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું. પ્રતિ હેક્ટરે મળશે 13 હજારની સહાય

ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર: ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનું આર્થિક પેકેજ જાહેર, પ્રતિ હેક્ટર રૂ.13000 ચૂકવાશે, જાણો કોને મળશે.

તાઉતે વાવાઝોડા બાદ અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પાકને મોટાપ્રમાણમાં નુકસાની થઇ છે. ત્યારે હવે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર

  • 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે
  • ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે 13 હજાર સહાય ચૂકવાશે
  • SDRFના ધોરણો મુજબ બિનપિયત પાકમાં 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. 6,800 ચૂકવાશે
  • બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. 6,200 મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે
  • સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળશે નહી

કયા વિસ્તારના ખેડૂતોને મળશે લાભ?

જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.

હેક્ટર દિઠ કેટલી મળશે સહાય?

  • આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે.
  • આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ  એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે.
  • બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. 
  • જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. 

કોને નહીં મળે લાભ?

  • સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.

જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે

  • 8–અ,
  • 7-12,
  • તલાટીનો વાવેતરનો દાખલો,
  • આધાર નંબર,
  • બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ,
  • મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

નોધ.

ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે. 

વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે.

અરજી કેવી રીતે કરશો?

Also Read: માર્ગ અકસ્માતના કેસમાં ગુજરાત સરકાર કરશે 50 હજાર સુધીની સહાય

અરજી કરવાની તારીખ:

આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ ૨૫(પચ્ચીસ)ઓક્ટોબરથી ૨૦(વીસ) નવેમ્બર સુધી અરજી કરવાની રહેશે.

  • ફોર્મ ભરવાના શરુઆત: ૨૫/૧૦/૨૦૨૧
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૦/૧૧/૨૦૨૧

ગુજરાતના તાજા અને સચોટ ન્યુજ મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રુપમા અને તમારા બિજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ માહિતી મળી રહે.