PM કિસાન યોજનામાં મોટો ફેરફાર! હવે આ દસ્તાવેજ વિના નહી મળે ૨ હજારની સહાય

PM કિસાન યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે આ મોટો ફેરફાર કર્યો છે. હવે તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડ (Documents Required for PM Kisan Scheme) પણ અપલોડ કરવા પડશે, અન્યથા તમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં. આ સાથે સરકારે યોજનાનું ઈકેવાયસી કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.

PM કિસાન યોજનામાં મોટો ફેરફાર! હવે આ દસ્તાવેજ વિના નહી મળે ૨ હજારની સહાય

PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવતી સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજના દ્વારા કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ યોજના દ્વારા આપવામાં આવતી નાણાકીય મદદ સરકાર દ્વારા એક વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ હવે આ યોજના (PM Kisan Scheme Registration)માં નોંધણીના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તમામ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરતી વખતે તેમના રેશનકાર્ડની માહિતી પણ શેર કરવાની રહેશે.

PM કિસાન યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે

પીએમ કિસાન યોજના હેઠળ, તમારે તમારા રેશન કાર્ડની પીડીએફ કોપી પોર્ટલ (PM Kisan Portal) પર અપલોડ કરવાની રહેશે. આ સાથે આધાર કાર્ડ, ખતૌની, બેંક પાસબુક (Bank Account Details) વગેરેની હાર્ડ કોપી જમા કરાવવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે. આ પછી તમારે ફક્ત રોશન કાર્ડ અપલોડ અને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પછી તમને આ યોજનાનો લાભ મળવા લાગશે.